જીએસટીમાં ફેરફાર અને સ્‍થાનિક માંગમાં તેજી સાથે અર્થતંત્ર ગતિ પકડશે

જીએસટીમાં ફેરફાર અને સ્‍થાનિક માંગમાં તેજી સાથે અર્થતંત્ર ગતિ પકડશે

નાણા મંત્રાલયે કહ્યું છે કે પ્રથમ ત્રિમાસિક ગાળાના સારા ડેટા સાથે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા રહેશે. જુલાઈ ૨૦૨૫ માટેના પ્રારંભિક સંકેતો સૂચવે છે કે અર્થતંત્ર તેજીમાં રહેશે. આગામી મહિનાઓમાં, તહેવારો અને GST દરોમાં ફેરફારને કારણે સ્‍થાનિક માંગ વધુ મજબૂત બનશે. જોકે, મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ટેરિફ સંબંધિત અનિヘતિતાઓને કારણે નિકાસ અને મૂડી નિર્માણમાં કેટલીક મુશ્‍કેલીઓ આવી શકે છે. નાણા મંત્રાલયના સૂત્રો કહે છે કે આ આંકડા દર્શાવે છે કે અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે, કારણ કે તેનો પાયો મજબૂત છે. ઉત્‍પાદન અને સેવા ક્ષેત્રે ત્રણ મહિનામાં સારું પ્રદર્શન કર્યું. ઉત્‍પાદનમાં ૭.૭%નો વધારો થયો, જ્‍યારે ગયા વર્ષે તે ૭.૬% હતો. સેવા ક્ષેત્રે ૯.૩%નો મજબૂત વિકાસ થયો. એપ્રિલ-જૂનમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ૩.૭% રહ્યો, જે ગયા વર્ષે ૧.૫% હતો.

સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા ગ્રુપના મુખ્‍ય આર્થિક સલાહકાર સૌમ્‍ય કાંતિ ઘોષે જણાવ્‍યું હતું કે મ્‍૧ માટે મજબૂત GST આંકડા અપેક્ષા કરતા સારા છે. આ ભારતીય અર્થતંત્રને  મૃત કહેનારાઓને યોગ્‍ય જવાબ છે. ભારતીય અર્થતંત્ર જીવંત છે અને સારી રીતે કાર્ય કરી રહ્યું છે.તેમણે ટ્રમ્‍પની ટિપ્‍પણીના જવાબમાં આ વાત કહી હતી, જેમણે ભારતની અર્થવ્‍યવસ્‍થાને મૃત અર્થતંત્ર ગણાવી હતી. તેમણે રાહુલ ગાંધીની ટિપ્‍પણીનો પણ ઉલ્‍લેખ કર્યો હતો. ડેટા દર્શાવે છે કે સરકારનો અંતિમ વપરાશ ખર્ચ (GFCE) વધ્‍યો છે અને નાણાકીય વર્ષ ૨૬ ના પ્રથમ ક્‍વાર્ટરમાં તે ૯.૭% વધ્‍યો છે, જ્‍યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ ક્‍વાર્ટરમાં તે ૪.૦%હતો. GFCE નો અર્થ એ છે કે સરકાર લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલો ખર્ચ કરી રહી છે.

નાણા મંત્રાલયના સૂત્રોએ એમ પણ જણાવ્‍યું હતું કે GSTમાં ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) ૬૦.૩% વધ્‍યો છે, જે છેલ્‍લા ૧૫ વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળાનો સૌથી વધુ સ્‍તર છે. PFCE એટલે કે લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલો ખર્ચ કરી રહ્યા છે. સરકારનો મૂડી ખર્ચ પણ સતત વધી રહ્યો છે. મૂડી ખર્ચ એટલે કે સરકાર રસ્‍તા, પુલ અને હોસ્‍પિટલ જેવી વસ્‍તુઓ પર કેટલો ખર્ચ કરી રહી છે. આ બધી બાબતો દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે અને આવનારા સમયમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તહેવારોની મોસમમાં લોકો વધુ ખરીદી કરે છે, જેના કારણે માંગમાં વધુ વધારો થશે. GST દરોમાં ફેરફારથી અર્થતંત્રને પણ ફાયદો થશે. સરકાર અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *