તહેવારોમાં ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર ૩ લાખ ટન ડુંગળી બજારમાં ઠાલવશે

તહેવારોમાં ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર ૩ લાખ ટન ડુંગળી બજારમાં ઠાલવશે

ભાવને કાબૂમાં રાખવા સરકારે ટામેટાની ખરીદી શરૂ કરી : દિલ્‍હીમાં રૂ.૪૭થી ૬૦ પ્રતિ કિલોના ભાવે સબસિડીવાળા ટામેટાંનું વેચાણ શરૂ

તહેવારોની મોસમમાં શાકભાજીના ભાવોને નિયંત્રણમાં રાખવાના પ્રયાસોના ભાગરૂપે સરકારે ચાલુ વર્ષે ૩ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ડુંગળીના આ જથ્‍થો સપ્‍ટેમ્‍બરથી તબક્કાવાર બજારમાં વેચાણ માટે મુકાશે.આ અંગે માહિતી આપતાં કેન્‍દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન તથા જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, અગાઉના વર્ષોથી વિપરીત આ ચોમાસામાં બટાકા, ડુંગળી તથા ટામેટા જેવા મુખ્‍ય શાકભાજીની કિમત નિયંત્રણમાં રહેવા પામી છે. ગત વર્ષની તુલનાએ ૨૦૨૪-૨૫માં બટાકા તથા ડુંગળીના ઊંચા ઉત્‍પાદનને પગલે પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહ્યો હોવાની સાથે સાથે જ છૂટક કિમત ગયા વર્ષની સરખામણીએ નીચી રહેવા પામી છે. નિવેદનમાં વધુ જણાવ્‍યાં અનુસાર, વર્તમાન કેલેન્‍ડર વર્ષ દરમિયાન ખાદ્ય પદાર્થોની કિમતો મહદઅંશે સ્‍થિર અને નિયંત્રણ હેઠળ રહેવા પામી છે. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરાયેલા નિરીક્ષણ અનુસાર, મોટાભાગની કોમોડિટીઝના ભાવમાં સ્‍થિરતાનું અથવા તો વાર્ષિક ધોરણે ઘટાડાનું વલણ જોવા મળ્‍યું હતું. જુલાઈ, ૨૦૨૫માં ઘરમાં બનેલા ભોજનની થાળીની કિમતમાં જોવાયેલો ૧૪ ટકાનો ઘટાડો મહિના દરમિયાન ખાદ્ય ફુગાવો સતત હળવો થઈ રહ્યો હોવાનું સૂચવે છે.

નિવેદનમાં વધુમાં જણાવ્‍યાં અનુસાર, દેશના વિવિધ કેન્‍દ્રોમાં ટામેટાના છૂટક ભાવનું કારણ મૂળભૂત માગ-પુરવઠાના અસંતુલન અથવા ઉત્‍પાદનની ઘટ નહીં બલ્‍કે હંગામી સ્‍થાનિક પરિબળો છે. આ સંદર્ભે નેશનલ કોઓપરેટિવ કન્‍ઝ્‍યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા (એનસીસીએફ)એ ૪ ઓગસ્‍ટથી આઝાદપુર મંડીમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી તેનું ન્‍યૂનતમ નફા સાથે ગ્રાહકોને વેચાણ શરૂ કર્યું છે. આજ દિન સુધીમાં એનસીસીએફએ કિલો દીઠ રૂ. ૪૭થી ૬૦ની છૂટક કિમતે ૨૭,૩૦૭ કિલોગ્રામ ટામેટાનું વેચાણ કર્યું છે. દિલ્‍હીમાં હાલ ટામેટા રૂ. ૭૩ના કિલો વેચાય છે. જેનું મુખ્‍ય કારણ ઉત્તર તથા ઉત્તર-પヘમિ ભારતમાં થયેલો ભારે વરસાદ છે.

ભારે વરસાદને કારણે દિલ્‍હીમાં ટામેટાંના ભાવમાં થયેલા વધારા વચ્‍ચે કેન્‍દ્ર સરકારે સામાન્‍ય લોકોને રાહત આપવા માટે સબસિડીવાળા દરે ટામેટાં વેચવાની પહેલ શરૂ કરી છે. નેશનલ કોઓપરેટિવ કન્‍ઝ્‍યુમર્સ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા (એનસીસીએફ)એ દિલ્‍હીમાં ટામેટાં રૂ. ૪૭થી રૂ. ૬૦ પ્રતિ કિલોના દરે વેચવાની જાહેરાત કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્‍યા અનુસાર એનસીસીએફએ ૪ ઓગસ્‍ટથી આઝાદપુર મંડીમાંથી ટામેટાંની ખરીદી શરૂ કરી દીધી છે અને આ ટામેટાં ન્‍યૂનતમ માર્જિન સાથે વેચાઈ રહ્યા છે. અત્‍યાર સુધીમાં ખરીદી ખર્ચના આધારે રૂ. ૪૭થી રૂ. ૬૦ પ્રતિ કિલોના ભાવે ૨૭,૩૦૭ કિલો ટામેટાં વેચાયા છે. વેચાણ માટે એનસીસીએફએ નહેરુ પ્‍લેસ, ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને રાજીવ ચોક જેવા સ્‍થળોએ તેના કાયમી આઉટલેટ્‍સ તેમજ છથી સાત મોબાઇલ વાન તૈનાત કરી છે, જે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ટામેટાં ઉપલબ્‍ધ કરાવી રહ્યા છે.મંત્રાલયે જણાવ્‍યું હતું કે જુલાઈના છેલ્‍લા અઠવાડિયાથી ઉત્તર અને ઉત્તર-પヘમિ વિસ્‍તારોમાં ભારે વરસાદને કારણે દિલ્‍હીમાં ટામેટાંના પુરવઠા પર અસર પડી હતી, જેના કારણે ભાવ રૂ.૮૫ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જોકે, હાલમાં દિલ્‍હીમાં ટામેટાંનો સરેરાશ છૂટક ભાવ રૂ.૭૩ પ્રતિ કિલો છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *