ખેડૂતો માટે ‘અચ્છે દિન’ : નાફેડ હવે સીધી ખરીદી કરશે : કેન્દ્રીય સહકાર મંત્રીની જાહેરાત

ખેડૂતો માટે ‘અચ્છે દિન’ : નાફેડ હવે સીધી ખરીદી કરશે : કેન્દ્રીય સહકાર મંત્રીની જાહેરાત

મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષના અવસરે જાહેરાત : મધ્યસ્થીઓનો થશે અંત : ખેડૂતોને મળશે પાકના યોગ્ય ભાવ : સહકારી મોડેલ આધારિત વીમા કંપની અને બે લાખ નવી PACS સ્થપાશે

ભારતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અપાવવા અને મધ્યસ્થીઓના દૂષણને દૂર કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે નાફેડ (National Agricultural Cooperative Marketing Federation of India Ltd.) ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે, જેનાથી કૃષિ ઉત્પાદન પ્રક્રિયામાંથી મધ્યસ્થીઓનો સદંતર લોપ થશે. આ જાહેરાત તેમણે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષના અવસરે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં કરી હતી.અમિતભાઈ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પગલું ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ મેળવવામાં મદદ કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં સહકારી મોડેલ પર આધારિત એક વીમા કંપની શરૂ કરશે, જે ખેડૂતોને જોખમ સામે રક્ષણ આપશે.

સહકારી ક્ષેત્રનું વિસ્તરણ અને ભાવિ દ્રષ્ટિ :

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે દેશભરમાં બે લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS – Primary Agricultural Credit Societies) ની સ્થાપના કરવામાં આવશે, જે ગ્રામીણ સ્તરે ખેડૂતોને ધિરાણ અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.અમિતભાઈ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દસ વર્ષમાં, નિકાસ, જૈવિક ખોરાક અને બિયારણ – એમ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં મોટી સહકારી સંસ્થાઓ ઉભરી આવશે. આ સંસ્થાઓ ખેડૂતોના જીવનની ગુણવત્તા સુધારવામાં મૂલ્યવાન યોગદાન આપશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે.આ પ્રસંગે, પાંચ નાફેડ ઉત્પાદનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને મહાનુભાવો દ્વારા પાંચ ખેડૂત ઉત્પાદક કંપનીઓને અનુદાન અથવા શેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાહેરાતો અને પહેલો સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *