![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/download-3.jpg)
સરકારે કંપનીઓને કાર્યવાહી કરવા આદેશ કર્યો, દેશમાં 140 કરોડ સોશિયલ યૂઝર
સરકારે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફેક ઓળખ થકી અકાઉન્ટ બનાવી આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે તેઓ ગંભીર છે. આવા કેસમાં કંપનીઓને સ્વૈચ્છિક રીતે ફેક અકાઉન્ટ બનાવનારાઓની ઓળખ કરવા કહેવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે- આ મામલે જાહેર કરવામા આવેલી ગાઈડલાઈન્સમાં આ મુદ્દે જોગવાઈ કરવામાં આવી છે, જેનું પાલન કરવાનું કંપનીઓ પર નિર્ભર છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે,‘અમુક લોકો ઓળખ છુપાવીને જ્ઞાન વહેંચતા હોય છે. જ્ઞાન આપવું સારી વાત છે પરંતુ તેમણે પોતાની વાસ્તવિક ઓળખ જણાવવી જોઈએ. ભારતમાં સોશિયલ મીડિયા પર 140 કરોડ યુઝર છે. જેઓ ફેસબુક, ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર એક્ટિવ છે. ઈન્ટરનેટ પર અમુક કંપનીઓનો અધિકાર ના હોવો જોઈએ.’
ખેડૂત આંદોલન મામલે દિશા રવિ અને અન્ય લોકોની ધરપકડ મામલે રવિશંકર પ્રસાદે તેને કાયદો અને વ્યવસ્થાની બાબત ગણાવી હતી. જે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે- નવી ગાઈડલાઈન્સમાં મહિલાઓના માન અને ગરિમાનું ધ્યાન રાખવામાં આવ્યું છે તથા આપત્તિજનક સામગ્રી 24 કલાકમાં હટાવવા કહેવામા આવ્યું છે.