ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા સમગ્ર ભારતમાં ‘ઇસુઝુ આઈ-કેર મોનસૂન કેમ્પ’ શરૂ કરી રહી છે
ચેન્નાઈ: શ્રેષ્ઠ સેવા અને માલિકીનો અનુભવ પ્રદાન કરવા માટે ઇસુઝુની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવાના સતત પ્રયાસરૂપે, ઇસુઝુ મોટર્સ ઇન્ડિયા તેની ઇસુઝુ ડી–મેક્સ પિક–અપ્સ અને એસયુવીના ગ્રાહક માટેની શ્રેણી માટે રાષ્ટ્રવ્યાપી ‘ઇસુઝુ આઈ-કેર મોનસૂન કેમ્પ’નું આયોજન કરી રહી છે. આ સર્વિસ કેમ્પનો ઉદ્દેશ ગ્રાહકોને ઉત્તેજક લાભો અને નિવારક જાળવણીની તપાસ માટેની ઓફર કરવાનો છે. જેથી સમગ્ર દેશમાં આસિઝન દરમિયાન મુક્ત ડ્રાઈવીંગનો અનુભવ કરી શકો છો.
ઇસુઝુ કેરની આ પહેલ 25 જુલાઈથી 2 ઓગસ્ટ 2022, દરમિયાન તમામ ઇસુઝુ અધિકૃત ડીલર સર્વિસ સ્ટેશન મોનસૂન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો તેમના વાહનો માટે વિશેષ ઑફર્સ અને લાભો પણ મેળવી શકે છે.
|
મોનસૂન કેમ્પનું આયોજન ઇસુઝુની અમદાવાદ, બેંગલુરૂ, બિમાવરમ, ભુજ, કાલિકટ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી, દીમાપુર, ગાંધીધામ, ગોરખપુર, ગુરૂગ્રામ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જલંધર, જોધપુર, કોચી, કોલકાતા, કુર્નૂલ, લખનૌ, મદુરાઈ, મેંગલોર, મહેસાણા, મોહાલી, મુંબઈ, નાગપુર, નેલ્લોર, પુણે, રાયપુર, રાજમુન્દ્રી, રાજકોટ, સિલીગુડી, સુરત, તિરૂપતિ, ત્રિવેન્દ્રમ, વડોદરા, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ સ્થિત તમામ અધિકૃત સર્વિસ સ્ટેશન પર સેવાની સુવિધાઓ આપવામાં આવશે.
ગ્રાહક સર્વિસ બુકિંગ માટે નજીકના ઇસુઝુ સર્વિસ સ્ટેશન પર કૉલ કરી શકે છે અથવા https://www.isuzu.in/service-booking ની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ગ્રાહક 1800 4199 188 (ટોલ ફ્રી) પર સંપર્ક કરી શકે છે.