ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે

12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ મેચ થયો હતો અને તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ લેવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેમના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી સહીત પરિવાર પહોંચ્યો છે.

જ્યાં પોલીસ કાફલા સહીત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, DGP વિકાસ સહાય, હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ પંચાલ સહિત મેયર અને તંત્રના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી છે. વિજય રૂપાણીના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવારના સભ્યોએ આપી શ્રદ્ધાંજલિ. સાથે આ સાથે જ વિજયભાઈનો પાર્થિવ દેહ જોતા જ અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હવે તેઓ પાર્થિવ દેહ લઈને રાજકોટ જવા રવાના થઇ ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *