બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારાઈ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારાઈ
ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલોમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તુજા મોઝુમદારની અધ્યક્ષતાવાળી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ-1 ની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી છે. આ પહેલી વાર છે જ્યારે પદભ્રષ્ટ અવામી લીગના નેતા શેખ હસીનાને લગભગ એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયા બાદ કોઈ કેસમાં સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અવામી લીગ સરકારના પતન પછી શેખ હસીના ઓગસ્ટ 2024 માં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં રહે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *