સુકા મેવાના મનોરથ નો શ્રી જગન્નાથ ભકતોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી; ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે થી આગામી તા. ૨૭ મી જુનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના ત્રીજા નંબર ની અને ગુજરાતના બીજા નંબરની શ્રી જગન્નાથ ભગવાન,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની ૧૪૩ મી રથયાત્રા ને લઇ સમગ્ર શહેરમાં ભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ૧૪૩ મી અષાઢી બીજની રથયાત્રા ને લઇ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીના મનોરથો નું આયોજન કરવામાં આવ્યું હોય સોમવારે સૌ પ્રથમ વખત અષાઢી બીજની ઉજવણી ના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ ૨૧ કિલો સુકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં કાજુ, બદામ,પિસ્તા,અખરોટ, અંજીર, કાળી- સફેદ દ્રાશ થી ભગવાન ના ગભૅ ગૃહ ને સજાવવામાં આવ્યો હતો. આ સુકા મેવા ની સજાવટમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભકતો સાથે મંદિર ના પુજારી સહભાગી બન્યા હતા.જગન્નાથ મંદિર ખાતે આયોજિત સુકા મેવા ના મનોરથ ના દર્શન કરી સૌ જગન્નાથ ભકતોએ જઞતનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
- June 24, 2025
0
379
Less than a minute
You can share this post!
editor

