લાલ સાડી પહેરીને ઐશ્વર્યા લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતા અને સાદગી માટે જાણીતી છે. ઐશ્વર્યા રાય ભગવાનમાં ઘણી આસ્થા રાખે છે. આવી સ્થિતિમાં તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બધા ઐશ્વર્યા રાયની તે તસવીરોની રાહ જાેઈ રહ્યા છે જ્યારે તે લાલબાગના રાજાના દર્શન કરવા માટે પંડાલ પહોંચશે. ઐશ્વર્યા રાય દર વર્ષે ગણેશ ઉત્સવના પ્રસંગે લાલબાગના રાજાના દર્શન કરવા માટે જાય છે. જાે કે આ વર્ષે અત્યારે એક્ટ્રેસની તસવીર સામે નથી આવી પરંતુ બધાને તેની તસવીરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે અમે ઐશ્વર્યાના ફેન્સ માટે ઐશ્વર્યાના ગણેશ પંડાલથી અત્યાર સુધીનો સૌથી સુંદર લુક સામે લાવ્યા છીએ.

ઐશ્વર્યા રાયની આ તસવીર થોડા પહેલાની છે. પૂર્વ મિસ વર્લ્ડના આ લુકને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યો હતો. લાલ સાડી પહેરેલી ઐશ્વર્યા રાય જ્યારે ગણેશ પંડાલમાં દર્શન કરવા માટે પહોંચી તો બધાની નજર તેના પર હતી. તેમાં પણ રસપ્રદ વાત એ છે કે ઐશ્વર્યાએ આ દરમિયાન લાલબાગના રાજાનું સિંદુર લઈને પોતાની માંગ ભરી. ઐશ્વર્યા રાયની આ તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે સાથે જ એક્ટ્રેસનો આ અંદાજ જાેઈ ફેન્સ તેને પરફેક્ટ વહુનો ટેગ આપે છે.

તમને જણાવી દઈએ કે ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને આ એક્ટ્રેસ પતિ અને દીકરીની સાથે આસ્થાના રંગમાં રંગાયેલી જાેવા મળી. ઐશ્વર્યા દરેક તહેવારને ખાસ અંદાજમાં તૈયાર થઈને પરિવારની સાથે પૂજા પાઠ કરે છે. ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી. લાંબ બ્રેક પછી હવે આ એક્ટ્રેસે મણિરત્નની ફિલ્મમાં જાેવા મળશે. ઐશ્વર્યાનો લુક્સ જાેયા પછી દરેક લોકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.