ઉર્મિલા માતોંડકરનો મોટો ખુલાસો-મારા પતિ અને પરિવારને સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે
મુંબઈ,
થોડા દિવસો પહેલા કોંગ્રેસ સાથે છેડ ફાડીને શિવસેનામાં જાેડાનાર બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી નારાજ છે. ઉર્મિલા કહે છે કે સોશિયલ મીડિયા પર તેના પતિ મોહસિન અખ્તર મીર અને પરિવારને સતત ત્રાસ આપવામાં આવે છે અને ટ્રોલ કરવામાં આવે છે. ઉર્મિલાએ કહ્યું છે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક અસામાજિક તત્વોએ તેમના માતાપિતાનું નામ પણ વિકિપીડિયા પર બદલી નાંખ્યું છે.
હાલનાં જ એક ઇન્ટરવ્યૂમાં ઉર્મિલાએ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર તેના પતિને દુષ્ટ રીતે ટ્રોલ કરવામાં આવે તેનાથી નારાજ છે. ઉર્મિલાએ કહ્યું હતું કે તેના પતિને એક પાકિસ્તાની અને આતંકવાદી પણ કહેવામાં આવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક બદમાશોએ વિકિપીડિયા પર તેની માતાનું નામ રૂખસાના અહેમદ અને પિતાનું નામ શિવિંદર સિંહ લખી નાંખ્યું હતું. ઉર્મિલાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેના પિતાનું નામ શ્રીકાંત માતોંડકર છે જ્યારે માતાનું નામ સુનિતા માતોંડકર છે.
પતિ વિશે વધુ વાત કરતા ઉર્મિલાએ કહ્યું કે મોહસિન કાશ્મીરી મુસ્લિમ છે અને અમે બંને પોતપોતાના ધર્મોનું સમાન રીતે અનુસરણ કરીએ છીએ છે. ઉલ્લેખનીય છે કે ઉર્મિલાએ માર્ચ ૨૦૧૭માં મોહસિન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદથી ઉર્મિલાને કટ્ટરવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવે છે.