ટીવી સિરિયલ ‘શ્રીગણેશ’ ફૅમ એક્ટર જગેશ મુકાતીનું ૪૭ વર્ષની ઉંમરમાં નિધન

ફિલ્મી દુનિયા

મુંબઇ,
વર્ષ ૨૦૨૦ બોલિવૂડ તથા ટીવી માટે ઘણું જ ખરાબ છે. આ વર્ષે ઘણાં દિગ્ગજ એક્ટર્સના નિધન થયા છે. ગુજરાતી નાટકોમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર ૪૭ વર્ષીય જગેશ મુકાતીનું નિધન ૧૦ જૂનના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરી દેવામાં આવ્યા હતાં.
સૂત્રોના મતે, જગેશની તબિયત ગયા શુક્રવારે (પાંચ જૂન)ના રોજ બગડી હતી. તેમને અસ્થમાની બીમારી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આટલું જ નહીં તેમનામાં ઓક્સજન લેવલ ઓછું થઈ ગયું હતું. હોસ્પટલમાં સૌ પહેલાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.
જગેશને શ્વાસ લેવામાં ઘણી જ તકલીફ પડતી હતી. આ જ કારણથી તેમને આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતાં અને છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તેમને વેન્ટલેટર પર રાખવામાં આવ્યા હતાં. જાકે, ૧૦ જૂનની બપોરે અચાનક જ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી અને તેમણે ત્રણ વાગ્યાની આસપાસ હોસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.