સોનાક્ષી સિંહા કરણ જાહરની ચમચીઃ અભિનેત્રી ટ્રોલ થઇ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધા બાદ બોલિવૂડમાં વિવાદ શરૂ થઈ ગયો છે. ઘણાએ સગાવાદ અને ચમચાગીરીના આક્ષેપો પણ કર્યા છે. બોલિવૂડમાં કરણ જાહર કે અન્ય સુપરસ્ટાર્સની ચમચાગીરીને કારણે ટકી શકાય છે અને આમ નહીં કરનારાના હાલ સુશાંત જેવા હાલ થાય છે તેવા આક્ષેપો વચ્ચે બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પણ ટ્રોલ થઈ ગઈ છે. તેને કરણ જાહરની ચમચી કહેવામાં આવી રહી છે.
હકીકતમાં સોનાક્ષીએ લખ્યું હતું કે કોઈ પણ જાનવરથી લડવામાં તમારા હાથ પણ ગંદા થઈ જશે અને તેને તો મજા જ આવશે. કેટલાક લોકો એવા છે જે અન્ય કોઈના મોતનો લાભ ઉઠાવીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પોતાની જ જાતિના લોકોના મોત પર પણ પ્રચાર કરી રહ્યા છે. તમે નતારાત્મકતા અને નફરત ફેલાવી રહ્યા છો. જેની જરૂર નથી. જે ચાલ્યા ગયા છે તેમનો આદર કરવો જાઇએ. કેટલાક લોકો નિરાશાવાદી હોય છે અને હંમેશાં રહેશે.
આ ટ્‌વટ બાદ ઘણા લોકોએ કે સોનાક્ષી ખુદ જ ચમચાગીરીનું પરિણામ છે. આવા ચમચાખોરનો ભાંડો ફૂટી રહ્યો છે તો સોનાક્ષીને કેમ મરચા લાગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.