સલમાન ખાન તથા તેના પરિવારે મારું કેરિયર બરબાર કર્યુ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્્યા છે અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે. અભિનવે ફેસબુકમાં એક લાંબી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે. પોસ્ટમાં અભિનવે સલમાન ખાનના પરિવાર, યશરાજ ફિલ્મ્સ તથા ઈન્ડસ્ટ્રી પર આક્ષેપો કર્યાં છે.
‘સુશાંતની આત્મહત્યાએ ઈન્ડસ્ટ્રીના આ સૌથી મોટી મુશ્કેલીને ઉજાગર કરી છે. આ મુશ્કેલીનો અમારામાંથી ઘણાં લોકોએ સામનો કર્યો છે. વાસ્તવમાં એવું કયું કારણ હોઈ શકે, જે કોઈને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે? મને ડર છે કે તેનું નિધન મી-ટૂની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ના કરે.
સુશાંત સિંહ રાજપૂતના નિધને યશરાજ ફિલ્મ્સના ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની ભૂમિકા પર સવાલ ઊભો કર્યો છે. બની શકે કે તેમણે આત્મહત્યા તરફ તેને ધકેલ્યો હોય પરંતુ અધિકારીઓએ આ તપાસ કરવી જાઈએ. આ તમારું કરિયર નથી બનાવતા પરંતુ તમારા કરિયરને બરબાદ કરી નાખે છે. એક દાયકાથી હું આ બધું સહન કરી રહ્યો છું. હું દાવા સાથે કહું છું કે બોલિવૂડના દરેક ટેલેન્ટ મેનેજર તથા તમામ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી કલાકારો માટે મોતનો ગાળિયો હોય છે. આ તમામ વ્હાઈટ કોલર્ડ દલાલ હોય છે અને આ લોકો સાથે બધા જ મળેલા છે. આ લોકોનો બસ એક જ સિમ્પલ મંત્ર છે- ‘હમામ મેં સબ નંગે ઔર જા નંગે નહીં હૈં ઉનકો નંગા કરો ક્્યોંકિ અગર એક ભી પકડા ગયા તો સબ પકડે જાયેંગે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.