કસૌટી જિંદગી કી-૨ની ટીમ ૨૦ જૂનથી શૂટિંગ શરુ કરશે

ફિલ્મી દુનિયા

મુંબઇ,
પાર્થ સમથાન તથા એરિકા ફર્ના ન્ડઝના ચાહકો માટે સારા સમાચાર છે. સૂત્રોના મતે, એકતા કપૂરે પોતાના શો ‘કસૌટી જિંદગી કી ૨’નું શૂટિંગ શરૂ કરવાની માહિતી ટીમને આપી છે. આવતા મહિનાની શરૂઆતમાં ચાહકો આ સિરિયલના નવા એપિસોડ જાઈ શકશે.
શો સાથે જાડાયેલા સૂત્રોના મતે, જ્યારથી મહારાષ્ટ સરકારે શૂટિંગની પરવાનગી આપી છે, પ્રોડ્યૂસર્સ પોતાની ટીમ સાથે શૂટિંગ કેવી રીતે શરૂ કરવામાં આવે તેની ચર્ચા કરી રહ્યાં છે. ટીમે ૨૦ જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં, ‘પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. ટીમે તેને મુંબઈ આવવા માટે છે. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વારન્ટીન રહેશે, ત્યારબાદ જ તે શૂટિંગ પર આવી શકશે. આ વાતને ધ્યાન રાખીને શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કરશે, જેમાં એરિકા તથા પાર્થ જાવા મળશે.’
કોરોના વાઈરસના કહેર વચ્ચે એરિકા આ માહોલમાં શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જાકે, ટીમે તેને આશ્વાસન આપ્યું છે કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.