ફિલ્મ હેરા ફેરી ૩માં કાર્તિક આર્યન બનશે રાજૂ

ફિલ્મી દુનિયા

મુંબઈ, હેરા ફેરી ૩ની દર્શકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીને પડદા પર જાેવા લોકો આતુર હતા. પરંતુ જ્યારથી એવા સમાચાર સામે આવ્યા છે કે, હવે ફિલ્મમાં અક્ષય કુમાર જાેવા નહીં મળે તો ફેન્સ ઘણાં નિરાશ થયા છે. ફિલ્મમાં કાર્તિક આર્યન હવે રાજૂના રોલમાં જાેવા મળશે. સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, જાે અક્ષય કુમાર નહીં તો હેરા ફેરી પણ નહીં.

આ બાબતે અક્ષય કુમારે પણ પોતાનો પક્ષ મૂક્યો છે અને ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે. તાજેતરમા જ સોશિયલ મીડિયા પર પરેશ રાવલે કન્ફર્મ કર્યુ હતું કે કાર્તિક આર્યન હેરા ફેરી ૩નો ભાગ છે. ત્યારપછી ટિ્‌વટર પર #NoAkshayNoHeraPheri થઈ રહ્યું છે. એવી પણ અટકળો શરુ થઈ હતી કે પૈસાને કારણે અક્ષય કુમારે આ ર્નિણય લીધો છે. પરંતુ ખેલાડી કુમારે ચોખવટ કરી છે. તેણે જણાવ્યું કે રચનાત્મક ભેદને કારણે તેણે આ ર્નિણય લીધો છે. અક્ષય કુમાર જણાવે છે કે, હેરા ફેરી મારી કારકિર્દીનો એક મહત્વનો ભાગ છે. અન્ય લોકોની જેમ મારી પણ આ ફિલ્મ સાથે સારી યાદો સંકળાયેલી છે. મને પણ દુખ થાય છે કે આટલા વર્ષો સુધી ફિલ્મનો ત્રીજાે ભાગ બનાવવામાં નથી આવ્યો. પણ મેં કહ્યું એમ કે નવી બાબતનો સ્વીકાર કરવો જાેઈએ.

જ્યારે મને આ ફિલ્મ ઓફર કરવામાં આવી, ત્યારે હું સ્ક્રિપ્ટથી ખુશ નહોતો. મને તે પસંદ નહોતી આવી. મારે હવે એવા કામ કરવા છે જે લોકો જાેવા માંગે છે, માટે મેં ફિલ્મ છોડી દીધી. અક્ષય કુમારે આગળ જણાવ્યું કે, આ ફિલ્મ મારા જીવનનો ભાગ છે. મારા માટે તે એક જર્ની છે. હું પોતે દુખી છં કે તેનો ભાગ નથી બની શકતો. પરંતુ તે પ્રકારની ક્રિએટિવ વસ્તુઓ થઈ છે, તેનાથી હું બિલકુલ ખુશ નથી. તમને જણાવી દઈએ કે હેરા ફેરી ફ્રેન્ચાઈઝનો પ્રથમ ભાગ ૨૦૦૦માં રીલિઝ થયો હતો.

તે ઘણી હિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીને લોકોએ પસંદ કરી હતી. છ વર્ષ પછી જ્યારે ૨૦૦૬માં હેરા ફેરી ૨ રીલિઝ થઈ ત્યારે પણ તે સુપરહિટ સાબિત થઈ હતી. સુનીલ શેટ્ટીએ એકવાર જણાવ્યુ હતું કે, અક્ષય કુમાર વિના હેરા ફેરી ૩નો કોઈ અર્થ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.