ફિલ્મ ‘મુન્નાભાઈ’ ફૅમ એક્ટર સુરેન્દ્ર રાજનની મદદ કરશે સોનુ સૂદ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
એક્ટર સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં સતત મદદ કરી રહ્યો છે. હવે,સોનુ સૂદે ‘મુન્નાભાઈ’ તથા ‘આર રાજકુમાર’ ફૅમ એક્ટર સુરેન્દ્ર રાજનની મદક કરવાનું નક્કી કર્યું છે. સુરેન્દ્ર રાજન માર્ચમાં વેબ સીરિઝના શૂટિંગ માટે મુંબઈ આવ્યા હતાં અને ત્યારબાદ લાકડાઉન જાહેર કરતાં તેઓ અહીંયા ફસાઈ ગયા હતાં. જ્યારે સોનુ સૂદને ખબર પડી કે રાજન અહીંયા ફસાઈ ગયા છે તો તેમણે એક્ટરને સાંત્વના આપી હતી કે તેઓ ૧૮ જૂન પહેલાં તેમના હોમ ટાઉન સતનામાં હશે.
સંજય દત્તની ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ માં સુરેન્દ્ર રાજને હોસ્પટલના સ્વીપરનો રોલ પ્લે કર્યો હતો. તેમણે હતું કે સોનુ સૂદના કામથી તેમને અચરજ થયું છે. એક વ્યક્ત આ પ્રકારનું કામ કરી રહ્યો છે. તે સતત લોકોની મદદ કરે છે. આવું કામ કરવું ત્યાં સુધી શક્્ય નથી જ્યાં સુધી તમારી અંદરની ઈચ્છાશક્ત મજબૂત ના હોય. નોંધનીય છે કે સોનુ સૂદ મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડી રહ્યો છે. તે બસ, ટ્રેન તથા ફ્લાઈટમાં શ્રમિકોને તેમના વતન મોકલી રહ્યો છે. સુરેન્દ્ર રાજને આગળ હતું કે તેઓ આજે પણ સંજય દત્ત સાથે સંપર્કમાં છે અને તેને દીકરાની જેમ માને છે. જાકે, તેઓ સંજય દત્ત પાસે મદદ માગી શકતા હતાં પરંતુ તે કોઈના પર આધાર રાખવા માગતા નથી.
તેમના સાથીઓએ ત્રણ મહિનાનું ૪૫ હજાર ભાડું ભર્યું હતું. તેમને ઇજીજી (રાષ્ટય સ્વંયસેવક સંઘ) પાસેથી પણ મદદ મળી હતી. તેમણે રાશન પૂરું પાડ્યું હતું. સુરેન્દ્ર રાજને વાતચીતમાં હતું કે જુનિયર આર્ટિસ્ટ હોવાને કારણે અનેક પ્રોજેક્ટ્‌સના પૈસા તેમને હજી સુધી મળ્યાં નથી. તેમને લાંબા સમયથી કામ પણ મળ્યું નથી. આવક એટલી નથી અને તેને કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્ર રાજન પેઈન્ટર તથા ફોટોગ્રાફર છે. નોંધનીય છે કે સુરેન્દ્ર રાજને ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’માં મહાત્મા ગાંધીનો રોલ પ્લે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.