ઉલ્ટા ચશ્મામાં હવે ક્યારેય પાછી નહીં આવે દિશા વાકાણી?

ફિલ્મી દુનિયા

મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. આ સિટકોમ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને તેને પસંદ કરનારાની સંખ્યા સતત વધતી જઈ રહી છે. એ વાત અલગ છે કે, શોની સૌથી પસંદગીના પાત્ર એટલે કે દયાબેન એટલે કે દિશા વાકાણી અચાનક શો છોડીને જતા રહ્યા અને ક્યારેય પાછી ન આવ્યા. તેને લઈને ઘણી વખત અહેવાલ આવ્યા કે તે પાછી આવવાની છે,

પરંતુ તે પાછી ન આવી. હવે, ફરી એકવખત તે ચર્ચામાં આવી ગઈ છે, કેમકે શોના અન્ય એક મહત્વના પાત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ દયાબેનના રોલ વિશે ઈશારામાં ઘણું કહી દીધું છે. શૈલેષ લોઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક શાયરી લખી છે. તેમની પોસ્ટની લાઈનોને ફેન્સ અસિત મોદી પર સીધો કટાક્ષ માની રહ્યા છે. જાેકે, શૈલેષએ પોસ્ટમાં ખૂલીને કંઈ નથી કહ્યું, પરંતુ તેમની ક્રિપ્ટિક પોસ્ટને જાેઈને ફેન્સ એક્ટરની વાતોને સમજવાનો દાવો કરી રહ્યા છે. લોઢાએ નવી ઈન્સ્ટા પોસ્ટમાં કંઈક એવું લખ્યું છે કે, જેને દિશા વાકાણીના શોમાં ક્યારેય પાછા ન ફરવાના ઈશારા તરીકે જાેવામાં આવી રહ્યું છે.

તેમણે લખ્યું છે કે, ‘ઓરો કે હક કા જાેડા સબ ઉસને, કિસી કે મન સે જુડ કર નહીં દેખા, ઈસ બાત સે હી ફિતરત પતા ચલતી હૈ ઉસકી જિસને ભી ઉસે છોડા, મુડ કર નહીં દેખા. શૈલેષની શાયરીની છેલ્લી લાઈન ઘણું બધું જણાવી રહી છે. તેમાં શૈલેષે કહ્યું છે કે, જેમણે પણે તેમને છોડ્યા, પાછા વળીને નથી જાેયું. સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે, આ વાત અસિત મોદી માટે છે. ગત કેટલાક દિવસોમાં ઘણા એક્ટર્સએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યો છે અને જેણે પણ શો છોડ્યો છે, તે પાછા નથી આવ્યા.

શૈલેષ પણ આ શો છોડી ચૂક્યા છે. તેમના બદલે હવે સચિન શ્રોફને કાસ્ટ કરાયા છે. શૈલેષની આ પોસ્ટથી ફેન્સને લાગી રહ્યું છે કે, દિશા વાકાણી પાછી નહીં આવે. ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી છેલ્લા ૩ વર્ષથી શોમાં નથી જાેવા મળી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી, પરંતુ આજ સુધી પાછી નથી આવી. તે પોતાના પહેલા બાળકની સાર-સંભાળ માટે શોમાંથી બ્રેક પર ગઈ અને હવે બીજા બાળકની મા બની ચૂકી છે. આજે પણ ફેન્સ તેના પાછા આવવાની રાહ જાેઈ રહ્યા છે. એવું થશે કે નહીં એ તો શોના મેકર્સ જ જાણે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.