દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું હોવાની અફવા ઉડી

ફિલ્મી દુનિયા

મુંબઈ, છેલ્લા થોડા દિવસોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાની ચર્ચા ચાલી રહી છે. મીડિયામાં વહેતા થયેલા આ અહેવાલોથી દિશાના ફેન્સ ચિંતામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દયાભાભીનું પાત્ર ભજવવા માટે દિશા જે અવાજ કાઢતી હતી તેના કારણે તેને ગળાનું કેન્સર થયું છે. જાેકે, દિશાને કેન્સર હોવાની વાતમાં દમ નથી. આ બાબતની પુષ્ટિ દિશા વાકાણીના ભાઈ અને સીરિયલમાં સુંદરનો રોલ કરતાં એક્ટર મયૂર વાકાણીએ કરી છે. મયૂર વાકાણીનો સંપર્ક કરતાં તેણે કહ્યું, આવી કેટલીય અફવાઓ આવતી રહે છે અને તેમાં જરા પણ તથ્ય નથી. દિશા એકદમ સ્વસ્થ છે અને આ અહેવાલો અફવા માત્ર જ છે.

દરરોજ અમને દિશા અંગે કેટલીય પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે અને ફેન્સે તેના પર ભરોસો ના કરવો જાેઈએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ રોશન સોઢીનો રોલ કરતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ સાથે પણ આ મુદ્દે વાત કરી હતી. તેણે પણ દિશાને કેન્સર હોવાની વાત નકારતાં કહ્યું, મારી ક્યારેક ક્યારેક દિશા સાથે વાત થતી રહે છે. મને નથી લાગતું કે તેના અંગેના સમાચાર સાચા હશે. જાે આવું કંઈક હોત તો ખબર પડી જ જાતને. હું અને દિશા એક જ એરિયામાં રહીએ છીએ અને ઓગસ્ટના અંતે જ મેં તેની સાથે વાત કરી હતી. અમે તેની દીકરીના કથક ક્લાસ અંગે વાત કરી હતી અને એ વખતે દિશાની તબિયત એકદમ સ્વસ્થ લાગતી હતી. મને લાગે છે કે, આ બધી ખાલી અફવાઓ જ છે.

દયાભાભીના પતિ જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જાેષીએ પણ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં દિશા વાકાણીને કેન્સર હોવાની વાતને અફવા ગણાવી છે. તેમણે કહ્યું, “મને પણ સવારથી સતત ફોન આવી રહ્યા છે. દર વખતે કંઈક ઊંધા છત્તા સમાચાર આવતા રહે છે. મને લાગે છે કે, આ બધા પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. હું બસ એટલું જ કહીશ કે આ અફવા છે અને તેના પર ધ્યાન ના આપો. ઉલ્લેખનીય છે કે, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શરૂ થઈ ત્યારથી દિશા વાકાણી દયાબેનના રોલમાં જાેવા મળતી હતી. અવાજ અને એક્ટિંગના કારણે દિશાએ પાત્રને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી.

૨૦૧૭માં દિશા મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. ૨૦૨૨માં દિશાએ દીકરાને જન્મ આપ્યો છે. છેલ્લા ૨-૩ વર્ષથી દિશાના કમબેકના અહેવાલો મીડિયામાં આવતા રહે છે પરંતુ તેણે તેના પર પ્રતિક્રિયા આપી નથી. એવામાં હવે ચર્ચા છે કે, શોના મેકર્સ દયાભાભીના પાત્રને પાછું લાવવા માટે મક્કમ છે. હવે દિશા પાછી આવી છે કે કોઈ નવી અભિનેત્રી દયાબેનનો રોલ કરશે તે જાેવું રહ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.