![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/phpThumb_generated_thumbnail-8.jpeg)
ધોની બાયોપિક પર બનેલી ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી
ધોની બાયોપિક પર બનેલી ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો પાર્થિવ દેહ મળ્યો હતો. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.
૩૪ વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી.
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે ૧૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો.
સુશાંતનો જન્મ પટનામાં ૨૧ જાન્યુઆરી, ૧૯૮૬ થયો હતો. સુશાંતે અત્યાર સુધી ૧૨ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.