વેબ સીરિઝ મિર્ઝાપુર-૨ સિરીઝ જાહેર થતા જ લોકો તેને જોવા માટે રીતસરના તુટી પડ્યાં હતાં.
જાણીતી વેબ સીરિઝ મિર્ઝાપુર ની બીજી સિઝાનનો કરોડો ચાહકો છેલ્લા બે વર્ષથી ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હતાં જે 22મી ઓક્ટોબરે પુરો થયો હતો. આ સિરીઝ જાહેર થતા જ લોકો તેના પર રીતસરના તુટી પડ્યાં હતાં. સોશિયલ મીડિયા પર પણ કોમેન્ટોનું કિડીયારુ ઉભરાયું હતું. મિર્ઝાપુર-2 વેબસિરીઝ ને ભારે પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ હવે આ સિરીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પૂર્વી કેન્દ્રીય મંત્રી અને મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે મિર્જાપુર વેબ સિરીઝનો વિરોધ કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે અનુપ્રિયા પટેલે એક પછી એક ટવિટ કર્યા છે. અનુપ્રિયા પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન @narendramodiજી અને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી @myogiadityanathજીના નેતૃત્વમાં મિર્ઝાપુર વિકાસના પંથે છે, તે સમરસતાનું કેન્દ્ર છે. મિર્ઝાપુર નામની વેબ સિરીઝ દ્વારા આ વિસ્તારને હિંસક દેખાડીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ સીરિઝના માધ્યમથી જાતિય વૈયમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે. આ સીરીઝના માધ્યમથી મિર્જાપુરને બદનામ કરવામાં આવી રહ્યુ છે. તથા જાતિય વૈમનસ્ય ફેલાવામાં આવી રહ્યુ છે. અનુપ્રિયા પટેલે કહ્યુ છે કે, મિર્જાપુરના સાંસદ હોવાના નાતે અમે આ સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છીએ. બીજા એક ટ્વિટમાં અનુપ્રિયા પટેલે લખ્યું હતું કે – મિર્ઝાપુર જીલ્લાની સાંસદ હોવાના નાતે મારી માંગણી છે કે, આ સીરિઝના કંન્ટેટની તપાસ થવી જોઈએ અને તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. @PrakashJavdekar @narendramodi @myogiadityanath.’ અહીં ઉલ્લેખનીય છે કે, મિર્જાપુર-2 ત્રણ દિવસ પહેલા જ 22મી ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. આ સીરિઝ પહેલા 23 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી પરંતુ તેને 22 તારીખે જ રિલીઝ કરી દેવામાં આવી હતી.