અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર ફિલ્મ અભિનેત્રી અઠાવલેની પાર્ટીમાં જોડાઈ, આપ્યું આ મહત્વનું પદ

ફિલ્મી દુનિયા

ફિલ્મ નિર્દેશક અને અભિનેતા અનુરાગ કશ્યપ પર કથિત યૌન શોષણનો આરોપ લગાવનારી ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં શામેલ થઈ છે. શામિલ થયા બાદ તેણે આરપીઆઈની મહિલા શાખાના ઉપાધ્યક્ષના રૂપમાં વરણી કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રીએ કહ્યું જેણે અનુરાગને કર્યો ઘાયલ તે છે પાયલ.

અનુરાગ કશ્યપ પર લગાવ્યો હતો મીટુ નો આરોપ

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર મી ટુનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. જો કે, કશ્યપે આ આરોપોનું ખંડન કર્યું હતું.

અઠાવલેએ કર્યો હતો સપોર્ટ

કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી અને આરપીઆઈ અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પાયલ ઘોષને મીટુ મામલે સમર્થન કર્યો હતો. તેણે અભિનેત્રી સાથે મુલાકાત કરી હતી. માત્ર એટલું જ નહીં તેણે ઘોષની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ મુલાકાત કરી હતી. જ્યાં પાયલે પોતાની સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.