અભિનેત્રી પૂજા ગૌર અને રાજસિંહ અરોરાનું થયું બ્રેકઅપની અટકળો થઇ તેજ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
૨૦૨૦ના વર્ષમાં બોલિવૂડમાં ઘણી મોટી ઉથલ પાથલ જાેવા મળી છે. કોઈના મોત થયા તો કોઈના લગ્ન થયા. ત્યારે હવે એક સમાચાર સામે આવ્યા કે એક જાેડકું તૂટી પણ ગયું છે. નાના પડદાની જાણીતી અભિનેત્રી પૂજા ગૌર લાંબા સમયથી તેના અંગત જીવનને લઇને જબરદસ્ત ચર્ચામાં રહી છે. ઘણા મીડિયા રિપોટ્‌ર્સ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રાજસિંહ અરોરા સાથેના બ્રેકઅપ અંગે અટકળો લગાવી રહ્યાં છે. આ સાથે જ પૂજાએ પણ આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી અને સ્પષ્ટ કર્યું છે કે પૂજા અને રાજ હવે અલગ થઈ ગયા છે.
તેણે આ બ્રેકઅપની જાહેરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની એક પોસ્ટ દ્વારા કરી છે. પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે – ૨૦૨૦ ઘણા ફેરફારોનું વર્ષ રહ્યું છે. જે સારું છે તે એટલું બધું પણ સારું નથી. ઘણા મહિનાઓથી રાજ સાથેના મારા સંબંધો વિશે ઘણી અટકળો જાેવા મળી રહી છે. ઘણા મુશ્કેલ ર્નિણયો લેવામાં સમય લાગે છે. તેથી હું તેના વિશે વાત કરતા પહેલા થોડો સમય લેવા મંગતી હતી. પણ હવે રાજ અને મે અમારા રસ્તા અલગ અલગ કરી નાંખ્યા છે.
ભલે જીવન અમને અલગ અલગ રસ્તાઓ પર લઈ જાય, તો પણ અમારી વચ્ચે જે પ્રેમ અને આદર છે તે જીવનભર ટકી રહેળે. હું હંમેશાં તેના માટે સારી ઇચ્છા રાખું છું કારણ કે તે મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. અને હું હંમેશા તેમની આભારી રહીશ. અમે હંમેશા મિત્રો રહીશું અને એ ક્યારેય બદલાશે નહીં. આ વિશે વાત કરવા માટે મારે ઘણો સમય કાઢવો પડ્યો છે અને હમણાં માટે હું આટલું જ કહેવા માંગુ છું. સમજવા અને અમારી પ્રાઈવેસીની ઈજ્જત કરવા માટે આપનો આભાર.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.