અભિનેત્રી આર્યા બેનરજીનું શંકાસ્પદ અવસ્થામાં થયું મોત
મુંબઈ,
બોલિવૂડ માટે વર્ષ ૨૦૨૦ અત્યંત અપશુકનિયાળ સાબિત થયું છે. સુશાંત સિંહ રાજપૂતથી શરૂ થયેલો મોતનો સિલસિલો જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે ટીવી અભિનેત્રી અને વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ ડર્ટી પિક્ચરમાં નજરે પડેલી આર્યા બેનરજીનું શંકાસ્પદ અવસ્થામાં મોત નિપજતા સજસનાટી મચી જવા પામી છે.
બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું સંદિગ્ધ અવસ્થામાં મોત થઈ ગયુ છે. તેનું શબ કલકત્તાના તેના ફ્લેટમાંથી મળી આવ્યું છે. હાલમાં તો આર્યાના મોતનું કારણ જાણવા મળ્યુ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રીનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેનું ઘર સાઉથ કલકત્તાના જાેધપુર પાર્કમાં આવેલુ છે.
આર્યાએ વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એક નાનો એવો પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. તે એક ગીતમાં વિદ્યા સાથે ટક્કર લેતી દેખાય છે. તેણે ડર્ટી પિક્ચરમાં ‘હનીમૂન કી રાત’ ગીત પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ શકીલ નામનું પાત્ર ભજવ્યુ હતું. તો વળી તેને ‘લવ સેક્સ ઓર ધોખા’ માં પણ તેણે કામ કર્યુ હતું. આર્યાનું અસલી નામ દેબુદત્તા છે. આર્યા બંગાળી છે.