અભિનેતા રજનીકાંતની તબિયત લથડતા એપોલો હોસ્પિટલમાં ભરતી

ફિલ્મી દુનિયા

હૈદરાબાદ,
અભિનેતા રજનીકાંતની તબિયત અચાનક બગડી ગઇ છે. તેમણે હૈદ્રાબાદના એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જાેકે ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે રજનીકાંતને બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવની ફરિયાદ બાદ તેમને ભરતી કરાવવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમના બ્લડ પ્રેશરમાં ગંભીર ઉતાર ચઢાવ અને આગળના મૂલ્યાંકનની આવશ્યકતા હતી, જેના લીધે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી રહી છે. જાેકે તેમને રજા આપવામાં આવી નથી.એવામાં તેમની સારવાર ચાલુ છે. તમને જણાવી દઇએ કે રજનીકાંત પોતાની આગામી ફિલ્મ ‘અન્નાત્થે’નું શૂટિંગ માટે હૈદ્રાબાદમાં છે.
આ ઉપરાંત તે રાજકીય પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે, જેની જાહેરાત ૩૧ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. જાેકે તાજેતરમાં જ રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના શૂટિંગ દરમિયાન ક્રૂના ૮ સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ રજનીકાંતે પોતાને કોરોન્ટાઇન કરવાની વાત પણ સામે આવી હતી. હાલ તેમની ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.