અભિનેતા રાહુલ રોયને ફરી એકવાર આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બૉલીવુડ અભિનેતા રાહુલ રોય કારગીલમાં પોતાની ફિલ્મ “એલએસી-લિવ ધ બૈટલના શૂટિંગ દરમિયાન આવેલા બ્રેન સ્ટોકના કારણે હોસ્પિટલમાં ભરતી થયો હતો, ત્યાં સારવાર બાદ તે રિકવર પણ થઇ રહ્યો હતો, પરંતુ હાલમાં તે ફરી પાછો આઇસીયુમાં ભરતી થયો છે.જેના કારણે ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે.
ત્યારે આજે દરેક લોકો તેના સારા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાહુલ રોયની સારવાર મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલી રહી છે અને આ હોસ્પિટલના ડોક્ટરોએ જાણકારી આપી છે કે રાહુલને ફરી એકવાર આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે, તેનું કારણ રાહુલના હૃદયની ધીમી ચાલી રહેલી ધડકનો છે. હોસ્પિટલમાં રાહુલની સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું હતું કે, “રાહુલ આમતો લગભગ ઠીક થઇ રહ્યો હતો પરંતુ તેને બોલવામાં થોડી તકલિફ થતી હતી. તેના શરીરનો જમણો ભાગ બ્રેન સ્ટ્રોકના કારણે થોડો ઓછો કામ કરી રહ્યો છે.
જ્યારે તેનું હાલમાં એમઆરઆઈ કરવામાં આવ્યું ત્યારે તે લગભગ ઠીક થઇ ગયો હતો. પરંતુ તેને આઈસીયુમાં રાખવાનું કારણ તેના હૃદયની ધીમી ગતિ છે. આ ફક્ત એક દિવસ માટે છે પછી તેને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.