યે રિશ્તા કયા કહેલાતા હે ફેમ અભિનેત્રી શિવાંગી જાશીના દાદાનું નિધન
મુંબઈ
યે રિશ્તા કયા કહેલાતા હે ફેમ અભિનેત્રી શિવાંગી જાશીના દાદાનું નિધન થયું છે. પોતાના દાદાને ખોઈને શિવાંગી ઘણી દુખી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી જાણકારી આપી છે. શિવાંગીએ પોસ્ટમાં લખ્યું કે, આ દુર્ભાગ્ય છે કે મે મારા દાદા ખોઈ નાંખ્યા. આશા રાખુ કે તે હસતાં રહે અને આસમાનમાંથી અમને જાવા રહે. ઉલ્લેખનીય છે કે, શિવાંગીના દાદાનું નિધન સોમવારે થયું છે. શિવાંગી અને એના પરિવાર માટે હાલનો સમય ખુબ ખરાબ છે. શિવાંગી પ્રેમથી દાદાને દાદુ કહીને બોલાવતી હતી. શિવાંગીની વાત કરીએ તો હાલમાં તે લોકડાઉનના કારણે દેહરાદુન છે. ત્યાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યાંથી તે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.