‘પાતાલ લોક’ની પર બોલી અનુષ્કા- બીજી સીઝન ટુંક સમયમાં આવશે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
પહેલી સીરીઝમાં અપાર સફળતા મેળવ્યા પહેલા હિન્દી સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્માએ તેની પહેલી વેબ સીરીઝ પાતાલ લોકની બીજી સીઝન માટે હા પાડી દીધી છે. અનુષ્કાને દર્શકોએ વારંવાર પુછ્યુ છે કે હવે આ સીઝન પછી બીજી સીઝન  આવશે. અનુષ્કાએ  કે હાલ આ અંગે કહેવુ ઉતાવળીયુ ગણાશે. જા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો ઇચ્છશે તો આ સીરીઝની બીજી સીઝન જરૂરથી આવશે. અનુષ્કા શર્માની આ વેબ સીરીઝ ખુબજ ચર્ચામાં રહી છે. આ વેબ સીરીઝ સાથે કેટલોક વિવાદ પણ જાડાયો. આ સીરીઝને લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ.
અનુષ્કાનું કહેવુ છે કે આ વેબ સીરીઝને દર્શકોનો ભરપુર સાથ મળી રહ્યો છે. લેખક સુદીપ શર્માએ આ સીરીઝની આગળની કહાની લખવા તૈયારી દર્શાવી છે. અનુષ્કાએ કે હાલ આ સીરીઝની બીજી સીઝન માટે સૌ કોઈ આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. હું અત્યારે આ મામલે વધારે ખુલાસો નહી કરૂ એટલુ જરૂર કહીશ કે બીજી સીઝન ટુંક સમયમાં આવશે. તમને જણાવી દઈએ કે નવ એપિસોડની આ સીરીઝ દિલ્હી પોલીસ ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરીની આસપાસ ફરે છે. હાથીરામને લાંબા સમયથી કોઈ કેસ મળતો નથી અને અચાનક તેને એક લોકપ્રિય ટીવી પત્રકારની હત્યા કરવાનો પ્રયાસ કરવાને કારણે થયેલા હંગામાનો કેસ સોંપવામાં આવે છે. આ કેસની તપાસ કરી રહ્યો છે.
દેશમાં ફેલાતી જાતિ, ધર્મ, સમુદાય અને લિંગ જેવા ઘણા મુદ્દાઓને ઉજાગર કરે છે. સીરીઝની કહાની સુદીપ શર્માએ લખી છે જે અનુષ્કાની સાથે ફિલ્મ એનએચ ૧૦ના સમયથી જાડાયેલ છે. અનુષ્કાનું કહેવુ છે કે સુદીપ પર ભરોસો છે. તે કહે છે કે અમે લાંબા સમયથી એક બીજા સાથે કામ કરીએ છીએ તે મારા ભાઈ જેવો છે. તે જે પણ લખે છે મને ભરોસો છે કે કોઈ પણ કામ મુશ્કેલ નથી. અમે સાથે મળીને સારા કામ કરવામાં આ જ રીતે સાથે રહીશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.