ઝરીન ખાનની એક ભીડમાં છેડતીની કોશિશ કરતા વ્યક્તને જાહેરમાં માર્યો હતો લાફો
મુંબઈ
સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી ઝરીન ખાનને લગભગ ૧૦ વર્ષ થયા છે. આ વર્ષોમાં, ઝરીન ખાન એક અલગ ઓળખ બનાવી શકી નહીં. ૧૪ મેના રોજ તેનો જન્મદિવસ મનાવી રહેલી ઝરીન એક વખત એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે એક માણસને લાફો પણ મારી દીધો હતો. આ ઘટના વર્ષ ૨૦૧૮ ની છે જ્યારે ઝરીન ખાન મહારાષ્ટના ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં પહોંચી હતી. અભિનેત્રીને જાવા માટે લોકોનો ભીડ ઉમટી પડી હતી. આ સમય દરમિયાન એક વ્યક્તએ ઝરીનને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.
ઝરીન ખાનને ખબર પડી કે કોઈ તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તેણે વિચાર્યા વિના તે વ્યક્તને લાફો મારી દીધો. આ કેસમાં અભિનેત્રીએ કે તેણે ત્યાં જે કંઈ પણ કર્યું તે દરેક છોકરીએ કરવું જાઈએ. આ ઘટના બાદ ઝરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ હતું કે જ્યારે તે મોલ પહોંચી તો ત્યારે એક ટોળાએ તેને ઘેરી લીધી હતી અને તેને લાગ્યું કે જે લોકોએ તેને બોલાવી છે તેમની સિરિટીના લોકો તેણે બચાવશે. પરંતુ ભીડમાં તેને એકલી છોડી દેવામાં આવી.
તેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ તેને ખોટી રીતે અડવાની કોશિશ કરી. ઝરીને આરોપ લગાવ્યો હતો કે તેની સાથે સેલ્ફીના નામે છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી હતી. આ સમયે, તેણે લોકોને ઠપકો આપ્યો અને તેની કારમાં બેસી ગયા. ઝરીને હતું કે જા કોઈ સેલિબ્રિટીને બોલાવવામાં આવે તો તેમની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે.