અજય દેવગણે તેનો અને કાજોલનો જૂનો ફોટો શેર કરી મસ્તીમાં લખ્યું, એવું લાગે છે કે લોકડાઉન શરૂ થયાને ૨૨ વર્ષ થયા
મુંબઈ. લોકડાઉનમાં ઘરે રહીને અજય દેવગણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે. તેણે કાજોલ સાથેનો તેનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. તેણે મસ્તીમાં લખ્યું હતું કે, એવું લાગે છે કે લોકડાઉન થયાને ૨૨ વર્ષ થઇ ગયા છે. ફ્લેશબેક ફ્રાઈડે હેશટેગ સાથે તેણે આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
કાજોલ અને અજયના લગ્ન ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯માં થયા હતા. લગ્ન પહેલાં તેઓ એક વર્ષ ડેટિંગ કરી રહ્યા હતા. માટે અજયે કેપ્શનમાં ૨૨ વર્ષનો ઉલ્લેખ કર્યો હતો. લગ્ન સમયે કાજોલ ૨૫ વર્ષની હતી.
લોકડાઉનમાં અજય અને કાજોલ તેમના બાળકો ન્યાસા અને યુગ સાથે સમય વિતાવી રહ્યા છે. અજયે ‘ઠહેર જા’ સોન્ગ રિલીઝ કર્યું હતું. આ સોન્ગનું શૂટિંગ તેણે દીકરાની મદદથી ઘરે જ કર્યું હતું.