આમિર-કિયારાની લગ્ન બાદ વર કન્યાના ઘરે રહેવા જાય તેવી એડ સામે રોષ
બોલીવૂડ સ્ટાર આમિર ખાન તેના અસહિષ્ણુતા વિશેના નિવેદન સહિતની બાબતો અંગે વિવાદમાં રહ્યો છે. હવે લગ્ન બાદ કન્યા વરના ઘરે નહીં પરંતુ વર કન્યાના ઘરે જાય તેવી તેની એક જાહેરખબર સામે પણ વિવાદનો વંટોળ ઉઠયો છે. એક બેન્કની જાહેરખબરમાં આમિર ખાન અને કિયારા અડવાણીને નવવિવાહિત દંપતી તરીકે દર્શાવવામાં આવ્યાં છે .આ જાહેરખબરમાં આમિર અને કિયારા ચર્ચા કરે છે કે આ વિદાયમાં કોઈ રડતું નથી. બંને ઘરે પહોંચે છે ત્યારે ખુલાસો થાય છે કે તેમણે રીતરિવાજ બદલી નાખ્યો છે. કન્યા વરના ઘરે જાય તેને બદલે અહીં કન્યાના બીમાર પિતાની સંભાળ લઈ શકાય તે માટે વર લગ્ન પછી કન્યાના ઘરે આવે છે અને તેનું એ રીતે સ્વાગત થાય છે. સદીઓ જૂના રિવાજ ચાલુ જ રાખવા એ જરુરી નથી એવો મેસેજ આ એડ દ્વારા આપવાનો પ્રયાસ કરાયો છે પરંતુ તેની સામે વિરોધ વંટોળ ચાલુ થયો છે.