ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહ તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે રહેતા મધુબેન અણુજી ઠાકોર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જેઓ શંકરપુરાના વીજળીયા ટીંબાવાળા આંટામાં ઘરની નજીક ખેતરમાં કાળા કલરની ગાય બાંધી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહનો તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *