પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે છે. તેમણે દિબ્રુગઢમાં ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે એક જાહેર સભાને પણ સંબોધિત કરી. તેમણે કહ્યું કે ઔદ્યોગિકીકરણ અને કનેક્ટિવિટી આસામના યુવાનોને મોટા સપના જોવા સક્ષમ બનાવી રહ્યા છે.
પીએમ મોદીએ ફરી એકવાર આસામથી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “આજે, અમારી ડબલ-એન્જિન સરકાર પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉભી કરાયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. આસામની જેમ, દેશભરના અન્ય રાજ્યોમાં ઘણી ખાતર ફેક્ટરીઓ પણ બંધ થઈ ગઈ છે.”
જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “પહેલાં, ખેડૂતોને યુરિયા માટે લાઇનોમાં રાહ જોવી પડતી હતી, અને પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરતી હતી. કોંગ્રેસે જે પરિસ્થિતિ વધુ ખરાબ કરી હતી તેને સુધારવા માટે અમારી સરકાર અથાક મહેનત કરી રહી છે.”
દિબ્રુગઢમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, “આ કોંગ્રેસ પાર્ટી હજુ પણ રાષ્ટ્ર વિરોધી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહી છે. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામના જંગલો અને જમીનમાં વસાવવા માંગે છે. તેઓ ફક્ત તેમની વોટ બેંકને મજબૂત કરવા માંગે છે; તેમને તમારી કોઈ પરવા નથી. કોંગ્રેસને તમારી ઓળખ સાથે કોઈ લેવાદેવા નથી.”
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આજે ભાજપ સરકાર બિયારણથી લઈને બજાર સુધી ખેડૂતોની સાથે ઉભી છે. ખેતીના કામ માટે પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોને લોન માટે દોડાદોડ ન કરવી પડે. અત્યાર સુધીમાં, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં અંદાજે ₹4 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

