પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૧૭૦૪ લાખના ૭૫૪ વિકાસના કાર્યોને સરકારની ગાઈડલાઈન મુજબ કરાયા મંજુર

આયોજનના કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તો નાગરિકોને તેનો વધુ ફાયદો મળી રહેશે:- પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત; રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર કલેકટર કચેરી, સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના ૧૨ તાલુકા અને ૬ નગરપાલિકા માટે ૧૫% વિવેકાધીન, ૧૫% આદિજાતિ, પ% પ્રોત્સાહક જોગવાઈ (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા)ના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજુ થયેલ આયોજન વંચાણે લઈ રજુ થયેલ વર્ષ ૨૦૨૫-૨૬ના કુલ રૂ. ૧૭૦૪ લાખના ૭૫૪ વિકાસના કામોને સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં દાંતા તાલુકામાં ૧૫૭.૧૫ લાખના ૧૦૭ કામો, ધાનેરા તાલુકામાં ૧૨૫ લાખના ૭૦ કામો, વાવ તાલુકામાં ૧૩૬ લાખના ૫૨ કામો, દિયોદર તાલુકામાં ૧૨૫ લાખના ૪૯ કામ, ભાભર તાલુકામાં ૧૩૫ લાખના ૫૬ કામ, સુઈગામ તાલુકામાં ૧૦૬.૫૦ લાખના ૪૨ કામ, દાંતીવાડા તાલુકામાં ૧૩૮ લાખના ૬૯ કામ, પાલનપુર તાલુકાના ૧૫૧.૭૫ લાખના ૫૫ કામો, વડગામ તાલુકાના ૧૮૦ લાખના ૧૦૩ કામો, ડીસા તાલુકાના ૧૫૫.૫૦ લાખના ૨૫ કામ, કાંકરેજ તાલુકાના ૧૫૦ લાખના ૪૯ કામો,

આ સાથે ૧૫ % વિવેકાધિન જોગવાઈ હેઠળ જિલ્લાની ૦૬ નગરપાલીના રૂ. ૧૬૩.૮૬ લાખના કુલ ૨૪ કામ મંજૂર કરાયા હતા. જેમાં ડીસા, થરાદ, થરા, ધાનેરા, પાલનપુર અને ભાભર નગરપાલિકાના વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ ની જિલ્લા આયોજન મંડળની બહાલીની અપેક્ષાએ રૂ. ૭૩.૨૫ લાખના કુલ ૨૮ કામોના સૂચન ફેર/ કામ ફેરને મંજૂરી આપવામાં આવી હતી.

આ સાથે અધ્યક્ષસ્થાનેથી જિલ્લામાં શરૂ ન થયેલ તથા પ્રગતિ હેઠળના તમામ કામોની સબંધિત અમલીકરણઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ ગ્રાન્ટ લેફટ ના થાય અને સમયમર્યાદામાં તમામ વિકાસના કાર્યો પૂર્ણ થાય તેમ સૂચન કર્યું હતું. જેમાં સને ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ના કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નિયત સમયમર્યાદામાં કરવા સુચના આપવામાં આવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારએ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. ભુગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે ભૌગોલિક સ્થિતિને આધારે સૌકોઈ સાથે મળીને જળ સંચય માટે ચોમાસા પૂર્વે કામ કરવા ધારાસભ્યઓને સૂચન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત તળાવ, ચેકડેમ, વરસાદી પાણીના હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવા ઘટકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. સરકાર અને લોકભાગીદારી થકી સહભાગિતાથી થતી કામગીરીથી જળસંગ્રહના ઉદ્દેશોને સફળ બનાવવા આહવાન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા આયોજન અધિકારએ બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી,સ્વાગત અને આભારવિધિ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *