ઇન્ટર નેશનલ લોહાણા મહીલા મંડળ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ જેવી કે શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ગતરોજ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને ધાર્મિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા એવા ઇન્ટર નેશનલ લોહાણા મહીલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ ડીસાની કાંટ ગામથી રાણપુર રોડ પર આવેલી જલીયાણ ગૌ શાળા ખાતે વૃક્ષારોપણ તેમજ ગૌમાતાને ઘાસચારા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ મહિલા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા ગાયોને ઘાસ નિરવામા આવ્યું હતું. ત્યારબાદ ૪- ૩૦ થી ૬-૩૦ કલાક સુધી ભજન સંધ્યા રાખવામાં આવી હતી.તમામ ભજન મંડળમાં આવનારને અગિયારસ નિમિતે ફરાળી અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
- June 24, 2025
0
471
Less than a minute
You can share this post!
editor

