ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો તેમજ તેઓનો ફાળો સ્વીકારાયો ન હોવા બાબતે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

જોકે આ ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આજે પાલડી ગામના દલિત સમાજના લોકો ડીસા નાયબ કલેકટર કચેરી દોડી આવ્યા હતા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તેઓ ગામમાં રહી શકે તેવી સ્થિતિ ન હોઇ સુરક્ષિત જગ્યાએ તેઓને રહેઠાણ તેમજ ખેતીલાયક જમીન ફાળવી આપવા અને સુરક્ષા આપવાની માંગ કરી હતી. જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *