કોર્ટે મંડપ સંચાલકની બેદરકારી ને લીધે બનાવ બન્યો હોવાનું જણાવી આદેશ કર્યો; પાટણમાં વીજ કરંટથી મૃત્યુ પામેલા પ્રજાપતિ બાળકના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર ચુકવવા પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે મંડપ ડેકોરેશન ફર્મના સંચાલકની બેદરકારી ના કારણે ૧૦ વર્ષીય બાળકના મૃત્યુ કેસમાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
વષૅ ૨૦૧૬ મા બનેલી આ ધટના જોઈએ તો પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ જીવનધારા સુકેતુ સોસાયટીમાં લગ્ન પ્રસંગે મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યારે મંડપ ડેકોરેશન દ્રારા લાઇટ ફિટિંગમાં બેદરકારીને કારણે હેલોજન શોર્ટ થયો હતો અને તેનો કરંટ લોખંડના પોલમાં ઉતર્યો હતો જે પોલ નજીક રમતા ૧૦ વર્ષીય પ્રિન્સ પ્રજાપતિનું પોલ ને અડકી જતાં તેને શોટૅ લાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
ત્યારે આ બાબત નો કેસ પાટણની જયુડીશીયલ કોટૅ મા ચાલી જતાંજજ એ.એસ.ગોહેલે મંડપ સંચાલકને દોષિત ઠેરવી તેઓને પ્રોબેશન પર છોડવામાં આવ્યા છે.અને કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે જેમાં આરોપીએ એક વર્ષ સુધી સારું વર્તન જાળવવું પડશે. તેમણે કોર્ટની પરવાનગી વિના પોતાનું રહેઠાણ બદલવું નહીં.આરોપીને ૧૫ હજારના જામીન અને જાત મુચરકા પર છોડવામાં આવ્યા છે.
સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો સાથે રજૂઆત કરી હતી કે આ રાજ્ય વિરુદ્ધનો ગુનો છે. તેમણે ગુનાની ગંભીરતા અનુસાર વ્યાજબી સજાની માગણી કરી હતી. કોર્ટે મૃતક બાળકના માતા-પિતાને ન્યાય આપતા મંડપ સંચાલક પાસેથી ૧૦ લાખ રૂપિયાનું વળતર અપાવ્યું છે. જો આરોપી શરતોનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

