રાહુલ ગાંધી 1 સપ્ટેમ્બરે પટણામાં રેલી સાથે ‘મત અધિકાર યાત્રા’ પૂર્ણ થાય ત્યાં સુધી એક પખવાડિયાથી વધુ સમય માટે તેમના રાજ્યમાં રહેશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મત ચોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર સતત નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન રાહુલ 17 ઓગસ્ટથી બિહાર પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તેને ‘મત અધિકાર યાત્રા’ નામ આપ્યું છે. મત અધિકાર યાત્રા રોહતાસ જિલ્લામાંથી શરૂ થશે. આ યાત્રાનો હેતુ રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે વિરોધ નોંધાવવાનો છે. રાહુલ ગાંધી 16 દિવસ બિહારમાં રહેશે. આ દરમિયાન તેઓ 24 જિલ્લાઓમાં પ્રવાસ કરશે. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ અખિલેશ સિંહે કહ્યું કે 17 ઓગસ્ટથી મતાધિકાર યાત્રા શરૂ થઈ રહી છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે રવિવારે બિહારમાં મતદાતા યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દ્વારા લોકોના મતાધિકાર પર કથિત હુમલાને ઉજાગર કરવા માટે આ યાત્રા કરવામાં આવી રહી છે.
અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 1 સપ્ટેમ્બરે પટણામાં રેલી સાથે ‘મત અધિકાર યાત્રા’ પૂર્ણ થાય ત્યાં સુધી એક પખવાડિયાથી વધુ સમય માટે તેમના રાજ્યમાં રહે તેવી શક્યતા છે. આ 16 દિવસની 1300 કિમી લાંબી યાત્રા બિહારના લગભગ 24 જિલ્લાઓમાંથી પસાર થશે. આ યાત્રામાં ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો ભાગ લેશે. અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાસારામથી યાત્રા શરૂ કરશે. આ યાત્રા માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે બિહારમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ઉપરાંત ત્રણ ડાબેરી પક્ષો સહિત અમારા અન્ય ગઠબંધન ભાગીદારો પણ સાસારામમાં રાહુલ ગાંધી સાથે જોડાઈ શકે છે.
17 ઓગસ્ટ સાસારામ (રોહતાસ), 18 ઓગસ્ટ ઔરંગાબાદ, 19 ઓગસ્ટ ગયા અને નવાદા, 20 ઓગસ્ટ વિશ્રામ, 21 ઓગસ્ટ લખીસરાય-શેખપુરા, 22 ઓગસ્ટ મુંગેર અને ભાગલપુર, 23 ઓગસ્ટ કટિહાર, 24 ઓગસ્ટ પૂર્ણિયા અને અરરિયા, 25 ઓગસ્ટ વિશ્રામ, 26 ઓગસ્ટ સુપૌલ, 27 ઓગસ્ટ દરભંગા અને મુઝફ્ફરપુર, 28 ઓગસ્ટ સીતામઢી અને મોતીહારી, 29 ઓગસ્ટ બેતિયા, ગોપાલગંજ અને સિવાન, 30 ઓગસ્ટ છપરા અને આરા ત્યાર બાદ 1 સપ્ટેમ્બર પટણાના ગાંધી મેદાન ખાતે રેલી બાદ યાત્રાનો પૂર્ણ કરવામાં આવશે.

