જુનાગઢ ખાતે આજથી કોંગ્રેસની ૧૦ દિવસીય શિબીરનો પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિપ પ્રાગટય કરીને શિબિરને ખુલ્લી મુકી હતી. દિલ્હીથી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અમિતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહીલ, વિમલભાઇ ચુડાસમા, મહેશભાઇ રાજપુત, રામકૃષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતીબેન મહિપતસિંહ ડોડીયા સહિતનાએ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા.

