CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન: ‘ઓપરેશન સિંદૂર’માં લક્ષ્ય પસંદ કરવાની સ્વતંત્રતા હતી

CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન: ‘ઓપરેશન સિંદૂર’માં લક્ષ્ય પસંદ કરવાની સ્વતંત્રતા હતી

ભારતીય સેનાની વ્યૂહાત્મક તૈયારીઓ: હવે યુદ્ધ ફક્ત જમીનસમુદ્ર અને હવા સુધી નથી સીમિત: સાયબર અને અવકાશ યુદ્ધ પણ સામેલ છેજેની સામે લડવું હંમેશા એક પડકાર

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે આજે એક કાર્યક્રમમાં દેશની સુરક્ષા અને પડકારો પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ વિશે વાત કરતા કહ્યું કે આ ઓપરેશન દરમિયાન અમને યોજનાઓ બનાવવા અને નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.

જનરલ ચૌહાણે જણાવ્યું કે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદી હુમલાનો બદલો લેવાનો નહોતો, પરંતુ ભારતની ધીરજની મર્યાદા કેટલી છે તે દુશ્મનને દર્શાવવાનો હતો. આ એક બહુ-ડોમેન ઓપરેશન હતું, જેમાં સાયબર યુદ્ધ અને ત્રણેય સેનાઓ વચ્ચેના સંકલનનો સમાવેશ થતો હતો.

ભારત સામેના મુખ્ય પડકારો
CDS જનરલ અનિલ ચૌહાણે ભારત સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોની  ચર્ચા કરી

  1. ચીન સાથેનો સરહદી વિવાદ: તેમણે કહ્યું કે ચીન સાથેનો સરહદી વિવાદ ભારત માટે સૌથી મોટો અને લાંબા સમય સુધી ચાલનારો પડકાર રહેશે.
  2. પાકિસ્તાનનું પ્રોક્સી યુદ્ધ: તેમણે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા પ્રોક્સી યુદ્ધને બીજો મોટો પડકાર ગણાવ્યો, જેનો હેતુ ‘હજાર ઘા મારીને ભારતને લોહીલુહાણ’ કરવાનો છે.
  3. પ્રાદેશિક અસ્થિરતા: ભારતના લગભગ તમામ પડોશી દેશો સામાજિક, રાજકીય અને આર્થિક અશાંતિનો સામનો કરી રહ્યા છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.
  4. યુદ્ધના બદલાતા ક્ષેત્રો: તેમણે જણાવ્યું કે હવે યુદ્ધ ફક્ત જમીન, સમુદ્ર અને હવા સુધી સીમિત નથી. તેમાં સાયબર અને અવકાશ યુદ્ધ પણ સામેલ છે, જેની સામે લડવું હંમેશા એક પડકાર રહેશે, કારણ કે ભારતના બંને મુખ્ય હરીફો પરમાણુ શક્તિઓ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *