સરકાર અર્થતંત્રને વેગ આપવા રૂ.2 લાખ કરોડ ખર્ચશે

Business
Business

સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં વધારાના રૂ.2 લાખ કરોડ ખર્ચ કરવા વિચારી રહી છે.મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે અર્થતંત્રને ગતિ આપવા માટે સરકાર જંગી ખર્ચની દિશામાં આગળ વધવા વિચારી રહી છે.જેમા સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં જંગી ઘટાડો કરતા તેની આવક પર સીધી અસર થશે.પરંતુ સરકાર તેને કારણે ખર્ચ પર બ્રેક નહીં મારે અને અર્થતંત્રને દોડતું રાખવા માટે 26 અબજ ડોલરનો ખર્ચ ચાલુ વર્ષે કરવા વિચારી રહી છે.આમ દેશનો રિટેલ ફુગાવાનો દર એપ્રિલમાં 8 વર્ષની ટોચે પહોંચ્યો હતો જ્યારે હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર 17 વર્ષની ટોચે પહોંચ્યો છે.જેમા સરકારના અંદાજ મુજબ ફર્ટિલાઈઝર સબસિડી માટે રૂ.50,000 કરોડની જરૂર પડશે.આમ વર્તમાનમા રૂ.2.15 લાખ કરોડની સબસિડી આપવામાં આવી રહી છે જેમાં વધારાનો બોજ પડશે.ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ ઊંચા જ રહેશે તો સંભવતઃ સરકાર ફરી ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરે તો સરકાર પર ચાલુ વર્ષે વધુ રૂ.1 લાખ કરોડ થી રૂ.1.5 લાખ કરોડનો બોજો પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.