એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે જેનાથી કાર્બન સાયકલ પુનઃ વ્યવસ્થિત થાય: મુકેશ અંબાણી

Business
Business

બ્રિટનની FII ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આયોજીત કોન્ફરન્સ ‘ડોન્ટ ફરગેટ અવર પ્લેનેટ’ને સંબોધતાં પોતાની વીડિયો લિંકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાના ઉપયોગ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન માનવજાતે જે વિકાસ સાધ્યો છે તેમાં આપણે કાર્બન ઉત્સર્જનની સાયકલને છિન્નભિન્ન કરી છે અને હવે એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, જેનાથી સંતુલન જળવાય અને કાર્બન સાયકલ પુનઃ વ્યવસ્થિત થાય. તેમણે કહ્યું હતું કે કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા આપવી એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મારા મતે, અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં જો આપણે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું તો આપણે ઘણા મોરચે સુરક્ષિત રહીશું અને એનાથી ઊર્જાનું ચક્ર છે તે પૂર્ણ થશે, આપણે કાર્બન ડાયોક્સાઇડને ખભે પડેલી જવાબદારી બનાવીએ તેના કરતાં બાયોકેમિકલ ફોટોસિન્થેસિસ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કાર્બનને રો-મટિરિયલ બનાવી શકીએ છીએ.

અંબાણીએ કહ્યું કે, જે લોકો એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમના માટે કાર્બન સર્જન-ઉત્સર્જનને બંધ કરવું જ બધું નથી, પરંતુ કાર્બનનું ઉત્સર્જન શૂન્ય સુધી લાવીને તેની સાયકલ પૂર્ણ કરવાનું તેમનું મૂળ કામ છે. આપણે માત્ર કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય સુધી જ નથી પહોંચાડવાનું, પરંતુ હું માનું છું કે આપણે કાર્બનને રિસાયકલ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ કામ આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક કરવાનું છે. આ જ વેપાર છે. આપણે સ્વચ્છ અને અસ્વચ્છ વચ્ચે જરાય મૂંઝવણ અનુભવવાની નથી.

તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર રહેતા 800 કરોડ લોકો માટે ઊર્જા પાયાની જરૂરિયાત છે. ઊર્જાની સમાન વહેંચણી પણ એક અગત્યનો મુદ્દો છે. એનો મતલબ એ થયો કે, દરેકને પોતાની જિંદગીની યોગ્ય ગુણવત્તા મળી રહે તે માટે સ્વચ્છ અને ઊર્જા પોસાય તેવા ભાવથી દરેકને મળવી જોઈએ. એટલા માટે જ કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા નો ઉપયોગ જરૂરી છે. આજે આપણે જ્યાં છીએ ત્યાંથી આવનારા દાયકાઓમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ કાર્બન સાયકલને પૂર્ણ કરવી એ જ આપણા પડકારો બની રહ્યા છે.

અંબાણીએ કહ્યું હતું કે, અમારા માટે, ખાસ કરીને ભારતમાં, અમે ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ અને ઊર્જા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહકોને સાથે રાખીને કામ કરવાનું છે. કાર્બનનું ઉત્સર્જન ઓછું રાખવાની માનસિકતાના ફાયદા દરેકને સમજાવવામાં એક વાયરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ઘણી મદદ કરી છે. કાર્બન સાયકલના પુનઃ સ્થાપન માટે સમુદાય સાથે ગાઢ સંપર્ક રાખવો, પાયાના સ્તરે સમુદાયની સમજ તથા વિવિધ ક્ષેત્રો વિશેની સમજ કેળવવી અને ઊર્જાની ચળવળમાં તેમને સક્રિય રીતે સામેલ કરવા અત્યંત જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.