ડીસા તાલુકાના સોયલા ગામે કંરટ લાગતા ભેંસનુ મોત

ડીસા તાલુકાના સોયલા ગામે કંરટ લાગતા ભેંસનુ મોત

વીજતંત્રની લાલીયાવાડી ભીલડી પંથકના રોષ : ગઈકાલ મોડી સાંજે અચાનક વાતાવરણનો પલટો આવ્યો હતો. જેમાં ડીસા તાલુકાના સોયલા ગામના ખેડૂત પ્રહલાદભાઈ દાનસુગભાઈ જોષીના ખેતરમાં ચાલુ વરસાદે મેઈન લાઈનથી 20 ફૂટ દૂર ભેસ બાંધેલી હતી. જે થાંભલા પર શોર્ટ સર્કિટ થતા કરંટ પાણીમાં ઉતરતા વીજળીનો કરંટ બાંધેલી ભેંસને લાગતા ભેંસનું મોત થયુ હતું. જેમાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેનુ પી.એમ. પશુ ચિકિત્સા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની ના ડે.એન્જિનિયર ધટના સ્થળે જઈ પંચનામુ કરી લાઈન રિપેર કરવામાં આવી હતી. જેમાં ખેડૂતે જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં લાઈન રીપેર કરવામાં આવી ન હતી.  આ ઘટના પછી લાઈન રીપેર કરતા ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા એવો ઘાટ સર્જાયો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *