રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત

રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત

રમઝાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનના એક મદરેસામાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. આમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. શુક્રવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક મદરેસામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી.

જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત એક મદરેસામાં થયો હતો. તે દરમિયાન લોકો મદરેસામાં નમાઝ પઢી રહ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આતંકવાદી સંગઠનોની શંકા; પાકિસ્તાનને શંકા છે કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે જામિયા હક્કાનીયા નામના મદરેસા પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. તેમણે કહ્યું કે આ મદરેસા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *