ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મત વિસ્‍તારોમાં જશે. અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે : ભાજપના મંત્રીઓ અને સાંસદો જનસંપર્ક અભિયાનમાં જોડાશે : કેન્‍દ્રમાં મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપે મોટા પાયે તૈયારીઓ કરી છે. તાજેતરમાં, પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદો સાથે ઘણા કાર્યક્રમો પર ચર્ચા કરી હતી. સશષા દળોના સન્‍માનમાં તિરંગા યાત્રા પર ખાસ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. ભાજપે ઘણા રાજ્‍યોમાં જનસંપર્ક અભિયાનને વધુ તીવ્ર બનાવ્‍યું છે. સરકારના કામકાજ અંગે વર્કશોપ, પ્રેસ કોન્‍ફરન્‍સ, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રો કહે છે કે કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મતવિસ્‍તારોમાં જશે અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાજપે છેલ્લા ૧૧ વર્ષની સરકારની સિદ્ધિઓને જનસંપર્ક અભિયાનમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી છે. મંત્રાલયો પણ તેમની મુખ્‍ય યોજનાઓ, સિદ્ધિઓ અને ફેરફારોનો હિસાબ આપી રહ્યા છે. હરિયાણામાં ભાજપનું સેવા મહાભિયાન શરૂ થઈ ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *