લાખણીના ધાણા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનના મોત : તરવૈયા દ્વારા મૃતદેહને બહાર નીકાળ્યો
લાખણી તાલુકાના ધાણા ગામે નર્મદાના પાણી વડે ભરવાં માં આવેલ તળાવમાં નાહવા પડેલા યુવાનનું મોત નિપજ્યું હતું. થરાદના તરવૈયા અને ધાનેરા ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર નીકાળ્યો હતો. યુવાનના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામે નર્મદાના પાણીથી ભરેલા તળાવમાં ગામનો યુવાન ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેને લઈને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મળતી માહિતી મુજબ ધાણા ગામે નર્મદા નહેરના નીરથી ભરવામાં આવેલ તળાવમાં યુવક ઠાકોર રમણજી પથુજી નાહવા પડેલા હતાં. જે દરમિયાન ડૂબી જવાથી યુવાનનું મોત થયું હતું. થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ધાનેરા ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ બહાર નીકાળ્યો હતો. યુવાન તળાવમાં ડૂબી ગયો હોવાથી તળાવ પર બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.