વાવના દેથળીના યુવાને ૮ એકર જમીનમાં ઉભેલો જુવારનો પાક ગૌ-માતાઓને ખવરાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : ગત તા.૧૭-૯-ર૦ ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે તેમજ દેથળી ગામના સદ્‌ગત રવજીભાઈ પટેલની પ્રથમ માસિક પૂણ્યતીથી નિમિત્તે દેથળી ગામના ધનજીભાઈ રવજીભાઈ પટેલે પોતાના ખેતરની ૮ એકર જમીનમાં ઉભેલા જુવારનો અંદાજે રૂ.૧ લાખ ઉપરાંતના પાકમાં ડેંડાવા, તીર્થગામની ૩૦૦ થી વધુ ગાયોને ખેતરમાં છુટી મુકી ચરાવી દીધો હતો. આંમ દેથળી ગામના યુવાને ભારતના વડા પ્રધાનના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. ૩૦૦ થી વધુ ગૌશાળાની ગાયોને જુવારના ઉભા પાકમાં ચરાવી હતી. આમ આઠ એકર જમીનમાં ઉભેલા અંદાજે ૧ લાખથી વધુ (કિંમતની જુવારના પાકમાં ગાયોને ચરાવનાર દેથળી ગામના યુવક ધનજીભાઈ રવજીભાઈ પટેલની દેથળી, ડેંડાવા, તીર્થગામજનોએ ભારે પ્રશંસા કરી કામગીરીને બીરદાવી હતી. આવી ઉમદાકામગીરી જાેઈ ભાજપ અગ્રણીઓ અને કાર્યકર મિત્રો પણ ખુશ થઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.