યાત્રાધામ અંબાજી બન્યું ગંદકીનું હબ ઠેર-ઠેર જગ્યાએ ગંદકી થી સ્થાનિક લોકો ત્રાહિમામ

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી ઉઠ્યા છે. અનેકવાર ગ્રામજનોએ ગ્રામપંચાયતમાં રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ગયું હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી માંથી ગંદકીનો નિકાલ કરવામાં આવે અને યાત્રાધામ અંબાજી સ્વચ્છ સુંદર થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. વિશ્વ વિખ્યાત શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું મા અંબાનું ધામ અંબાજી. દેશ વિદેશથી લોકોમાં જગત જનનીના દર્શન કરવા અંબાજી આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિરના આજુ બાજુના વિસ્તારને છોડી સમગ્ર અંબાજી ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. જેના લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં અંબાજી ગ્રામ પંચાયતની કામગીરી વહીવટદારના હસ્તે છે. ઘણી વખત અંબાજીના સ્થાનિક લોકો દ્વારા અંબાજી ગ્રામ પંચાયતમાં મૌખિક અને લિખિત અરજીઓ અવાર નવાર કરવામાં આવે છે, પરંતુ અંબાજી ગ્રામ પંચાયત કોઈપણ જાતનું ધ્યાને લેતું નથી. જેને લઇ યાત્રાધામ અંબાજીના દરેક વિસ્તારોમાં ગંદકીની સ્થિતિ ખુબજ વિકટ બની રહી છે. હાલમાં તો વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીના લીધે મોટો રોગચાળો ફાટે એવી સ્થિતિ અંબાજીની બની ગઈ છે. અંબાજીના આંતરિક રહેણાંક વિસ્તારો લાંબા સમયથી ગંદકી અને ભરાવદાર ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અંબાજી ગ્રામ પંચાયતના મૂખે માખી ઊડતી ના હોય તેવું દેખાઈ રહ્યું છે. અંબાજી ગ્રામ પંચાયતના વહિવટદાર અને કર્મચારીઓ યાત્રાધામ અંબાજીને સ્વચ્છ સુંદર અને ગંદકી મુક્ત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.