ડીસામાં બટાકાના વાવેતર માટે ખાતરની અછત મામલે કૃષિમંત્રીને લેખિત રજૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં ખાતરની અછત મામલે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્યએ પશુપાલન અને કૃષિ વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરી છે. ખાતરની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે. જો ખાતરની વ્યવસ્થા નહીં થાય તો, ખેડૂતોનું લાખો રૂપિયાનું બિયારણ બગડી જવાની પૂરી સંભાવના છે.

દિવાળી બાદ તુરંત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઈ જાય છે. જેમાં સૌથી વધુ ડીસામાં 60 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થાય છે. પરંતુ ખેડૂતો હજુ સુધી બટાટાનું વાવેતર કરી શક્યા નથી. કારણ કે બટાટાના વાવેતરમાં સૌથી વધુ જરૂરિયાત એવા NPK ખાતરની ખૂબ જ શોર્ટેજ છે અને ખાતર નહીં મળતા ખેડૂતોનું વાવેતર અત્યારે અટવાઈ પડ્યું છે. ખેડૂતો ખાતર માટે રજળપાટ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.