અમીરગઢમાં સરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગ અધ્યક્ષ ડોક્ટર નીતિનકુમાર જાદવ વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવાય છે. આજના દિવસનું મહત્વ વિશે સહ વિસ્તારથી ચર્ચા સાથે, સમાજની સંસ્કૃતિ, પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા ત્યારબાદ પ્રા. ભુપેન્દ્રભાઈ ચડોખિયાએ પ્રાકૃતિક સંક્ષરણ, જળ,જમીન,પ્રકૃતિ બચાવ વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.નરેશકુમાર જોષી આ પ્રસંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ્ આ કાર્યક્રમમાં ડો. મંજુલાબેન પરમાર અને ફરહિના શેખ, વર્ષાબેન ચૌધરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો.એન.કે.સોનારાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.