વડગામ તાલુકાના મહેમદપુરના માર્ગો ઉપરની ગંદગી દૂર થશે ?

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના મહેમદપુર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં શાળા પ્રવેશોત્સનો શુભારંભ કરાવશે જેની જિલ્લા વહીવટી તંત્ર દ્રારા પુરજાેશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહેમદપુરના માર્ગો ઉપરની વર્ષો જૂની ગંદગી તંત્ર દૂર કરશે..?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. જેને લઈ ભાજપની સરકાર દ્રારા વિવિધ ઉત્સવો સહિત વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી દ્રારા વડગામના મહેમદપુર ગામે થી શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રીની વડગામ મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી જયાંથી સભા સંબોધવાના છે તે વિસ્તાર ના માર્ગોનું નવીનીકરણ સહિતનું ફુલગુલાબી ચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેમદપુરની અંદરના માર્ગો ઉપર ઠેરઠેર ગંદગી સહિત ગટરના પાણી રોડ ઉપર વર્ષોથી રેલાય છે જેને લઈ લોકો ભારે પરેશાન થઈ ઉઠ્‌યા છે આ વિકટ પ્રશ્ન ને લઈ સ્થાનિક કક્ષા થી લઈ જિલ્લા કચેરીઓ સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નથી. આવતા જેથી મુખ્યમંત્રીને ગામમાં રોડ શો કરી સફાઈ ની પણ જાણકારી મેળવવા સ્થાનીક લોકો ઈચ્છી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.